મોરબી : આવતીકાલે નિ:શુલ્ક નિદાન અને સારવાર કેમ્પ

- text


મોરબી : મોરબીમાં માજી ચીફ ઓફિસર સ્વ. મનહરલાલ વિઠ્ઠલજીભાઈ રાવલના જન્મદિવસે એક દિવસીય ફ્રી મેડિકલ સલાહ, નિદાન અને સારવાર કેમ્પનું ડો. હસ્તી આઈ. મહેતાની હોસ્પિટલ,પરષોત્તમ ચોક મંદિર, કાલિકા પ્લોટ ખાતે આવતીકાલે તા. 08 ડિસેમ્બરના રોજ સવારે 9-30થી 12-30 વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું છે. જરૂરિયાતમંદ દર્દીને નિ:શુલ્ક દવા આપવામાં આવશે. જેનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

- text