માવતરના ઘેર આવીને પરિણીતાએ કેરોસીન છાંટી જાત જલાવતા મોત

- text


મોરબી : મોરબીની પરિણીતાએ માવતરના ઘેર આવી વહેલી સવારે પોતાના શરીર પર કેરોસીન છાંટી જાત જલાવતા એનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. પોલીસે મૃતકની ડેડબોડી હોસ્પિટલે ખસેડી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

- text

મોરબીના લીલાપર રોડ, બોરીચાવાસમાં માવતરના ઘેર આવીને અલ્પાબેન સંદીપભાઈ નાગડા નામની 28 વર્ષની પરિણીતાએ આજે વહેલી સવારે 3 વાગ્યાના સુમારે કોઈ અગમ્ય કારણોસર પોતાના શરીરે કેરોસીન છાંટીને કાંડી ચાંપી દેતા, ભડભડ સળગી ઉઠેલી પરણીતાનું મોત થયું હતું. બનાવની જાણ થતાં એ.ડીવી.પોલીસે મૃતકના પી.એમ.અર્થે બોડીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આત્મહત્યાનું કારણ જાણવા મૃતકના પિયર તેમજ સાસરિયા પક્ષની પૂછપરછ હાથ ધરી છે. જાણવા મળ્યા મુજબ પરણીતાનું સાસરું પણ બોરીચવાસમાં જ આવેલું છે. મૃતકને 8 માસનું એક સંતાન હોવાનું જાણવા મળેલ છે.

- text