રાજય ચૂંટણી આયોગના સચીવની અધ્યક્ષતામાં મોરબી કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ

- text


મોરબી : સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓ નિયત સમય મર્યાદમાં યોજાય તે માટે રેવન્યુ વિભાગ અધિકારીઓ સાથે રાજય ચૂંટણી આયોગના સચીવ મહેશ જોષીએ આજે કલેકટર કચેરી સભા ખંડમાં મોરબી જિલ્લા રેવન્યુ વિભગના ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારી અને કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી.

- text

મતદારોમાં વધુમાં વધુ જાગૃતી આવે અને મહત્તમ મતદાન થાય તે માટે સ્વેપના કાર્યક્રમો યોજવા તેઓએ સુચનો કર્યા હતા. તેમજ લોકલ બોડીમાં જગ્યા ખાલી પડે કે તુરંત સમય મર્યાદામાં ચૂંટણી યોજી શકાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કલેકટર જે.બી.પટેલ, અધિક કલેકટર કેતન જોશી, પ્રાંત અધિકારીઓ એસ.જે.ખાચર, એન.એફ.વસાવા, અનિલ ગોસ્વામી સહિત જિલ્લામાં ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


- text