- text
મોરબી : મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામમાં અઘારા પરિવાર દ્વારા કાલથી તા. 19 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી મહેશભાઈ ઠાકરના વ્યાસપીઠ સ્થાને શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાનો સમય રાત્રે 8થી 11 વાગ્યાનો છે. ભાવિકો કથા દરમિયાન કપિલ જન્મ, નૃસિંહ પ્રાગટ્ય, રામ જન્મ, કૃષ્ણ જન્મ સહિતના પ્રસંગોના રસપાનનો લાભ લઇ શકશે.
- text