શકત શનાળાની સરસ્વતી વિદ્યા મંદિરના છાત્રોને 108 સેવા વિષે માહિતગાર કરાયા

- text


મોરબી : વ્યક્તિને તાત્કાલિક સારવારની જરૂરિયાત હોય ત્યારે 108 ઇમર્જન્સી સેવા ખુબ જ લાભદાયી સાબિત થાય છે. વિદ્યાર્થીઓને પણ 108 સેવા વિષે જાણકારી મળે તે હેતુથી આજે તા.18 નવેમ્બરના રોજ જીલ્લા કલેકટરના આદેશ અનુસાર શક્ત સનાળા મુકામે આવેલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે 108 એમ્બ્યુલન્સ વિશેની માહિતી સ્કૂલના વિદ્યાર્થીઓને આપેલ હતી. જે તકે પાઇલોટ નિલેશ આહીર, ઇ એમ ટી.ઈકબાલ ભાઈ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

- text