મોરબી પંથકમાં ઘડિયા લગ્નનો વધતો ટ્રેંડ, વધુ બે દંપતી જોડાયા

- text


મોરબી : મોરબી પંથકમાં ઘડિયા લગ્ન લેવાનો પ્રેરણાદાયી સિલસિલો હાલ સુધી યથાવત રહ્યો છે. લોકો જાગૃત બનીને ઘડિયા લગ્ન તરફ વળી રહ્યા છે. ત્યારે વધુ એક ઘડિયા લગ્ન લેવામાં આવ્યા હતા.

મૂળ કુંભારીયા હાલ મોરબી નિવાસી ધનજીભાઈ ગોરધનભાઈ દેત્રોજાના સુપુત્ર ધવલના લગ્ન જુના દેવળીયા નિવાસી દિનેશભાઇ મુળજીભાઈ ભોરણીયાની સુપુત્રી આશા સાથે તેમજ મૂળ કુંભારીયા હાલ ગાંધીધામ – કચ્છ નિવાસી પ્રવીણભાઈ પરસોત્તમભાઈ દેત્રોજાના સુપુત્ર પાર્થના લગ્ન રાપર-જેતપર નિવાસી સ્વ. જયંતીલાલ નરશીભાઈ દશાડીયાની પુત્રી પ્રિયંકા સાથે મોરબી ખાતે ઘડિયા લગ્ન લેવાયા હતા, જે ધામધૂમથી લગ્ન કરીને પૈસા અને સગા સ્નેહીઓના સમયનો ખર્ચ ન કરીને ઘડિયા લગ્ન લેવાનો પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો. આ પરિવારોએ પોતાના સંતાનોના ઘડિયા લગ્ન કરાવીને અન્ય ગ્રામજનોને પણ પ્રેરણા પુરી પાડી છે.

- text

- text