મોરબીના મેટ્રો સીરામીક ગ્રુપ દ્વારા પરિવારના બે સદસ્યોની પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજાયો

- text


મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન થકી હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપી

મોરબી : મોરબીમાં જાણીતા મેટ્રો સીરામીક ગ્રુપ દ્વારા પરિવારના બે હતભાગી વ્યક્તિઓની પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરીને હતભાગીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.જોકે મેટ્રો ગ્રુપ દ્વારા પરિવારજનોની સ્મૃતિમાં યોજાયેલા રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ જરૂરિયાતમંદ દર્દીઓની લોહીની જરૂરિયાતને પુરી પાડવા રક્તદાન કર્યું હતું.

- text

મોરબીના જાણીતા મેટ્રો સીરામીક ગ્રુપ પરિવારના સભ્યો બંસીબેન અને હિરનબેનએ થોડા વર્ષો પહેલા અકસ્માતમાં અકાળે જીવ ગુમાવ્યો હતો.ત્યારે મેટ્રો ગ્રુપ દ્વારા જરૂરિયાતમંત દર્દીઓની લોહીની જરૂરિયાત પૂરી પાડીને આ બન્ને હતભાગી વ્યક્તિને તેમની દરેક પુણ્યતિથિએ સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે.તે મુજબ મેટ્રો સીરામીક ગ્રુપ દ્વારા આજે પરિવારના આ બન્ને હતભાગી વ્યક્તિઓની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપવા માટે શહેરના લખધીર પુર રોડ ઉપર આવેલ મેટ્રો સીટી ટાઇલ્સ પ્રા. લી. ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.મેટ્રો સીરામીક ગ્રુપના દિલીપભાઈ આદ્રોજા અને શેખરભાઈ આદ્રોજા સહિતના દ્વારા હતભાગી પરિજનોની યાદમાં જરૂરિયાતમંત દર્દીઓ માટે રક્તદાન કેમ્પ યોજવાની પ્રેરણાદાયી પહેલને મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર વધાવી હતી અને લોકોએ મોટી સંખ્યામાં રક્તદાન કરીને સાચી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા મેટ્રો સીરામીક ગ્રુપના દિલીપભાઈ આદ્રોજા, શેખરભાઈ આદ્રોજા,વિકિભાઈ અને રાજુભાઇ સાહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text