થોરાળા ગામના યુવાનને સેવાકીય કાર્યો કરી જન્મદિવસ ઉજવ્યો

- text


મોરબી : થોરાળા ગામના યુવાન મનોજ મનસુખભાઇ ફુલતરીયાએ સેવાકીય કાર્યો થકી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. મનોજભાઈએ પોતાના જન્મદિવસ નિમિત્તે સરદાર બાગની પાછળ આવેલા મધર ટેરેસા અનાથાશ્રમમાં નિવાસ કરતા અનાથ બાળકોને નાસ્તો તથા મીઠાઈનું વિતરણ કરી તેમજ ગોર ખીજડીયા સ્થિત અલખધણી ગૌશાળામાં ગાયને લીલું ખવડાવી જન્મદિવસની ઉજવણી કરી હતી. આ તકે તેઓએ જન્મદિવસ પર મોજમજા કરવા માટે ફાલતુ ખર્ચ કરતા લોકોને સેવાકીય પ્રવૃતિઓ થકી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવાનો સંદેશો આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીમાં જન્મદિવસ કે વર્ષગાંઠની પ્રેરણાદાઇ ઉજવણી માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આપવાનો આનંદ કાર્યક્રમ શરૂ કરી અન્યોને પ્રેરણા આપવાનું અભિયાન શરૂ કર્યું હતું. જે અંતર્ગત મોરબીમાં પ્રેરણાદાયી રીતે જન્મદિવસની ઉજવણી સુંદર પરંપરા શરૂ થઈ છે.

- text