મોરબી જલારામ મંદિરે સ્નેહ મિલન અને અન્નકૂટ દર્શનનો કાર્યકમ યોજાયો

- text


(જનક રાજા) મોરબી:મોરબીમાં જલારામ પ્રાથના મંદિર ખાતે દર વર્ષેની જેમ આ વર્ષે પણ નવાવર્ષની શરૂઆત નુતન વર્ષ નિમિત્તે લોહાણા સમાજનો સ્નેહ મિલન અને અન્નકૂટ દર્શનનો કાર્યકમ યોજાયો હતો.

મોરબીના અયોધ્યા પુરી રોડ ઉપર આવેલ સંત શિરોમણી પૂ.જલારામ પ્રાથના મંદિરે પ્રતી વર્ષની જેમ આ વર્ષે પણ અન્નકૂટ દર્શન કરવામા આવ્યા હતા. જેમાં જુદી જુદી મિઠાઇ,ફરસાણ અને ફુટનો પ્રસાદ જલારામ બાપાના સન્મુખ ધરવામાં આવ્યા હતા.બહોળી સંખ્યામાં ભકતજનોએ અન્નકુટ દર્શનનો લાભ લીધો હતો. સાથો સાથ મોરબી લોહાણા મહાજન દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં સમસ્ત લોહાણા સમાજના બહોળી સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા લોહાણા મહાજનના પ્રમુખ ગીરીશભાઈ ધેલાણી, નિર્મિતભાઈ કકકડ, હરીશભાઇ રાજા સહિતના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text