ટંકારામાં લેઉઆ પાટીદાર સમાજ દ્વારા બુધવારે ત્રિવેણી મહોત્સવ

- text


- text

ટંકારા : ટંકારામાં લેઉઆ પાટીદાર સમાજ દ્વારા 51 કુંડી મહાયજ્ઞ તેમજ વિદ્યાર્થી સત્કાર સમારોહ, સ્નેહમિલન, શૈક્ષણિક સંકુલ ખાતમુર્હુતના ત્રિવિધ કાર્યક્રમો આગામી તા. 30 ઓક્ટોબરના રોજ યોજવામાં આવ્યા છે. જેમાં ખોડલધામ ટ્રસ્ટ – કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ, રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા, કોંગ્રેસના નેતા પરેશભાઈ ધાનાણી સહિતના સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમો ખોડિયાર આશ્રમની બાજુમાં, રાજકોટ – મોરબી રોડ ખાતે રાખવામાં આવ્યા છે. જેમાં ત્રિવેણી મહોત્સવ સમિતિ દ્વારા પાટીદાર સમાજના લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text