મોરબી : કર સમાધાન યોજનામાં જરૂરી સુધારા કરવા સિરામિક એસો.ની ડે. સીએમને રજુઆત

- text


મોરબી : મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદારો અને સલાહકારની ટીમે આજે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને કર સમાધાન યોજનામાં વિવિધ મુદાઓમાં જરૂરી સુધારાઓ કરવા રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી.

- text

ગુજરાત સરકાર દ્વારા કર સમાધાન યોજના ચાલી રહી છે. આ યોજનાનો વેપારીઓ પૂરતો લાભ લઇ શકે તે માટે અમુક મુદ્દાઓમા સુધારા કરવા જરૂરી છે. આ મામલે આજે મોરબી સિરામીક એસોસિએશનના હોદ્દેદારો અને સલાહકાર ટીમોએ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ તેમજ જીએસટી કમીશ્નર જે.પી. ગુપ્તાને રૂબરૂ મળીને આ બાબતની રજુઆત કરી હતી. સામે આ બાબતે સરકાર દ્વારા યોગ્ય ઘટતુ કરવા માટે બાંહેધરી પણ આપવામાં આવી હતી.

- text