મોરબીનું નામ વિશ્વમાં ગુંજતું કરનાર ઓ.આર.પટેલની પુણ્યતિથિએ સીરામીક એસોસિએશનની શ્રદ્ધાંજલિ

- text


મોરબી : અજંતા કંપનીના પાયાના સ્થાપક અને કડવા પાટીદાર સમાજના વિરલ પુરૂષ કે જેમના વિચારો અને સમાજ પ્રત્યેની ભાવના આજે આખા સમાજના માનસ પટલ પર બિરાજમાન છે એવા ઓધવજીભાઈ રવજીભાઈ ભાલોડિયાની સાતમી વાર્ષિક પુણ્યતિથિએ મોરબી સીરામીક એસોસિએશને સમાજ શ્રેષ્ઠીને શ્રધાંજલિ પાઠવી છે. સમગ્ર સૌરાષ્ટ્રના લોકોને એક તાંતણે જોડનાર અને સમગ્ર માનવ જાતના કલ્યાણ માટે જુદા જુદા સમયે વૃક્ષારોપણ, શિક્ષણ, ચેકડેમોના નિર્માણ, સાથોસાથ યુવા મહિલા માટે સુરક્ષા સાથે રોજગારી વગેરે જુદાજુદા અભિયાનમા યોગદાન આપનાર દાનવીર યોધ્ધા એવા સ્વ. ઓધવજીબાપાને મોરબીવાસીઓ આજે ભાવપૂર્ણ શ્રધ્ધાંજલી આપી રહ્યા છે.

- text

- text