- text
વાંકાનેર : હાલ વાંકાનેરમાં રહેતી મૂળ જસદણની પરિણીતાને તેના પતિ સહિતના સાસરિયાઓ શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ મહિલા પોલીસ મથકે નોંધાઇ છે.મહિલા પોલીસે આ અંગે પતિ તથા સાસુ અને સસરા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હાલ વાંકાનેરના લક્ષમીપરા મેઈન રોડ ઉપર રહેતી અલવીનાબેન ઇકબાલભાઈ કટારીયા ઉ.વ.24 નામની પરિણીતાએ જસદણ રહેતા તેના પતિ ઇકબાલભાઈ ઉર્ફે વસીમભાઈ કટારીયા તથા સસરા હબીબભાઈ દાઉદભાઈ કટારીયા અને સાસુ જેતુંનબેન હબીબભાઈ કટારીયા સામે મોરબી મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે લગ્ન થયા બાદ આરોપી સાસુ-સસરા તેના પતિને ધરકામની નાની નાની બાબતે ચડામણી કરતા હોય જેથી પતિ મેણા ટોણા મારી શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપીને આ ત્રાસ અંગે કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. મહિલા પોલીસે હાલ પરિણીતાની ફરિયાદ પરથી તેના પતિ તથા સાસુ અને સસરા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
- text
મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN
ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274
- text