હડમતીયા : પાલનપીરના મેળામાં આવેલ જસદણના આધેડનું તળાવમાં ડૂબી જતાં મોત

- text


તળાવમાં નહાવા પડ્યા બાદ ઉડા પાણીમાં ગરક થઈ જતા કરુણાતીકા સર્જાઈ

ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામે પાલનપીરના મેળામાં આવેલ જસદણના આધેડનું વાંકાનેરના જડેશ્વર નજીક આવેલ તળાવમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. જો કે તળાવમાં નહાવા પડ્યા બાદ આધેડ ઉડા પાણીમાં ગરક થઈ જતા આ કરુણ ઘટના સર્જાઈ હતી. આ બનાવને પગલે હડમતીયા ગામે પાલનપીરના મેળામાં આવેલા યાત્રાળુઓમાં ભારે શોક વ્યાપી ગયો છે.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાના હડમતીયા ગામે પાલનપીરનો મેળો ભરાયો છે. જસદણના જુના બસ સ્ટેન્ડ પાસે રહેતા મુળજીભાઈ પૂંજાભાઈ ઉ.વ. 52 નામના આધેડ આજે પાલનપીરના મેળામાં આવવા નીકળ્યા હતા અને રસ્તામાં આજે સવારે વાંકાનેર નજીક આવેલ જડેશ્વર પાસે સબ સ્ટેશન પાછળના તળાવમાં નહાવા પડ્યા હતા પણ તેઓ ઉડા પાણીમાં ગરક થઈ જતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું.જોકે ત્યાંથી પસાર થઈ રહેલા મુકેશભાઈ અને રસિકભાઈ કુંડીયા નામના બે ભાઈઓને આ આધેડ તળાવના ઉડા પાણીમાં ડુંબતા હોવાનું ધ્યાને આવતા બન્નેએ તેમને બચાવવાનો અથાક પ્રયાસ કર્યો હતો.પરંતુ તલવામાંથી આધેડની લાશ બહાર આવી હતી.આ ઘટનાની જાણ થતાં ટાંકરા પોલીસ મથકના ફિરોજખાન પઠાણ, જગદીશભાઈ, શૈલેષભાઈ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પરંતુ આ બનાવ વાંકાનેર હદનો હોય વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી છે.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text