મોરબી : નઝરબાગ રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મને ઊંચું લેવાના કામનું 20મીએ ભૂમિપૂજન

- text


સાંસદ વિનોદ ચાવડાના હસ્તે થશે ભૂમિપૂજન

મોરબી : સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે આવતીકાલે શુક્રવારે મોરબી નજરબાગ રેલવે સ્ટેશન પ્લેટફોર્મની ઉંચાઈ વધારવાના કામનું ભૂમિપૂજન થશે.જેમાં મોરબી, મોટા દહીંસરા અને બરવાળા રોડ રેલવે સ્ટેશન પર ફ્રી વાઈ-ફાઈ સેવા સુવિધા પ્રદાનના શુભારંભ પ્રસંગે આવતીકાલે તા.20ના રોજ શુક્રવારે સાંજે 4 વાગ્યે સાંસદ વિનોદભાઈ ચાવડાની ઉપસ્થિતમાં મોરબીના સામાકાંઠે આવેલ નઝરબાગ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.1ની ઇચાઈ વધારવાના કામના ભૂમિપૂજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ જાહેર જનતાને હાજર રહેવા અનુરોધ કરાયો છે.

- text