મોરબીમાં અગ્નેશ્વર મહાદેવ મંદિરે રોટરી રીડર્સ ક્લબનો શુભારંભ

- text


મોરબી : મોરબીમાં Literacy dayના રોજ સામાંકાંઠે સ્થિત અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પર્યાવરણ પ્રેમી તેમજ પુસ્તક પ્રેમી ઘનશ્યામભાઈ ડાંગરના વરદ હસ્તે રોટરી રીડર્સ કલબનો શુભ આરંભ કરવામાં આવ્યો હતો. જેમાં ઘનશ્યામભાઈએ પુસ્તકો વિશે ઉપયોગી માહિતી આપી હતી. આ પ્રસંગે મોરબી રોટરી કલબના પ્રેસિડન્ટ રૂપેશભાઈ પરમાર (કવિ જલરૂપ), ભરતભાઈ કાનાબાર, રાજવીરસિંહ સરવૈયા, નીલાબેન છનીયારા, હરીશભાઈ શેઠ તેમજ મોરબીના સાહિત્ય પ્રેમી વાંચકો ઉપસ્થિત રહ્યા હતાં. આ રોટરી રીડર્સ કલબમાં દર મહિનાના બીજા રવિવારે સવારે ૯ થી ૧૧ દરમ્યાન વાંચકો પુસ્તક વિના મુલ્યે વાંચવા લઈ જઈ શકશે.

- text