રફાળેશ્વરના મેળામાં ગયેલા લાકડધારના અસ્થિર મગજના આધેડ ગુમ

- text


વાંકાનેર : તાલુકાના લાકડધાર ગામે રહેતા આધેડ વયના રાજુભાઇ રફાળેશ્વરના મેળામાં જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થયા હોવાની ગુમશૂદા અરજી વાંકાનેર પો.સ્ટે.માં એમના પરિવારે આપી છે. અરજીના આધારે ગુમ થયેલા અસ્થિર મગજના રાજુભાઈની શોધખોળ પોલીસે હાથ ધરી છે.

- text

વાંકાનેર તાલુકાના લાકડધાર ખાતે ચાર ભાઈઓમાં ત્રીજા નંબરના રાજુભાઇ થોડો અસ્થિર મગજ ધરાવે છે. જે તારીખ 28 ઓગષ્ટના રોજ રફાળેશ્વરના મેળામાં જવાનું કહીને ઘેરથી નીકળ્યા બાદ ગુમ થયા હોવાની અરજી એમના પરિજનોએ વાંકાનેર તાલુકા પો. મથકમાં આપી છે. ફોટામાં દર્શાતા રાજુભાઇ કોઈને જોવા મળે કે એમના વિશે કશી માહિતી મળે તો વાંકાનેર તાલુકા પોલીસ મથકનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

- text