રાતાભેર ઠાકોર સમાજ દ્વારા તરણેતર વીર માંધાતાના મંદિરે ધ્વજારોહણ કરાયું

- text


મોરબી : હળવદ તાલુકાના રાતાભેર ગામના ઠાકોર સમાજના કેરવાડિયા પરિવાર દ્વારા દર વર્ષે તરણેતર મંદિરે ધજા ચડાવવામાં આવે છે. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ તેઓના તરણેતર વીર માંધાતાના મંદિરે ભક્તિભાવપૂર્વક ધ્વજાનું આરોહણ કરવામાં આવ્યું હતું. જેમાં કેરવાડીયા પરિવારના દરેક સભ્યોએ હાજરી આપી વીર માંધાતાની પૂજા-અર્ચનાનો લાભ લીધો હતો.

- text