નવલખી બંદર પર વર્કશોપના ઇન્ચાર્જનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

- text


મોરબી: મોરબી જિલ્લાના એકમાત્ર નવલખી બંદરના વર્કશોપ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા રમેશપરી ગોસાઈનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો હતો.જેમાં તેમના કાર્યકાળ દરમ્યાનની નિષ્ઠાપૂર્વકની કામગીરીને બિરદાવીને માન સન્માન ભેર વિદાય આપવામાં આવી હતી.ગુજરાત મેરીટાઈમ બોર્ડ નવલખી બંદર પર વર્કશોપ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા શ્રી રમેશ પરી ફૂલપરી ગોસાઈ આજ રોજ વય મર્યાદાથી નિવૃત્ત થતા ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા વિદાય સંભારમ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અધિકારીઓ અને કર્મચારીઓએ તેમનું સન્માન કરીને માંન સન્માન સાથે વિદાય આપી હતી.

- text