- text
ટંકારા : ટંકારા તાલુકાના ઓટાળા ગામે ગૌશાળાના લાભાર્થે ભગવાન રામદેવપીરના જીવન ચરિત્ર પર આધારિત રામામંડળનું આખ્યાન ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં નંકલક નેજાધારી રામામંડળ તોરણીયા ધામ (આશ્રમ) ગોશાળાના લાભાર્થે આગામી તા.5 સપ્ટેમ્બરના રોજ ઓટાળા ગામે રામામંડળ યોજાશે. આ રામામંડળનો આસપાસના ધર્મપ્રેમી લોકોને લાભ લેવાની અપીલ કરવામાં આવી છે.
- text