મોરબી : નવનિર્માણ વિદ્યાલયમાં જન્માષ્ટમીના પર્વની ધામધુમથી ઉજવણી

- text


મોરબી: નવનિર્માણ વિદ્યાલયમાં જન્માષ્ટમીનો કાર્યક્રમ રંગેચંગે ઉજવાયો

ભગવાનશ્રી કૃષ્ણના પાવન પર્વની ઉજવણી કરવા માટે નવનિર્માણ વિદ્યાલયમાં ધામ-ધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. દરવર્ષની જેમ આ જન્માષ્ટમી ઉજવણીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં વિદ્યાથીઓએ ડાન્સ સાથે ગરબા રમી વાતાવરણને પાવનમય બનાવ્યું હતું. વિદ્યાથીઓની સાથે શિક્ષકો દ્વારા રાસ-ગરબાની રમઝટ બોલાવી દહી હાંડી ફોડવામાં આવી હતી. નવનિર્માણ વિદ્યાલયમાં “નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી” ના ના સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

- text