મોરબી : શ્રી જૈન શ્વે.મૂ.પૂ.તપગચ્છ સંઘ-દરબારગઢ દ્વારા રવિવારે જાગૃતિ શિબિરનું આયોજન

- text


મોરબી : શ્રી જૈન શ્વે.મૂ.પૂ.તપગચ્છ સંઘ-દરબારગઢ દ્વારા રવિવારે જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં જૈન સમાજની વર્તમાન સ્થિતિનો આબેહૂબ ચીતાર રજૂ કરતી હૃદયસ્પર્શી રજુઆત કરવામાં આવશે.

- text

સાધર્મિકની અષ્ટાપદ યાત્રા વિષય હેઠળ પ.પૂ.આ.ભ.શ્રી.વિજય પ્રદીપચંદ્ર સુરીશ્વરજી મહારાજાની શુભ નિશ્રામાં તારીખ 18/8/2019ને રવિવારે સવારે 09;30થી બપોરે 12;00 વાગ્યા સુધી દશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી, બેન્ક ઓફ બરોડા, મોરબી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં તમામ ધર્મપ્રેમી જૈન ભાઈઓ-બહેનોને સમયસર પધારવા આમંત્રણ આયોજકો તરફથી આપવામાં આવ્યું છે.

- text