મોરબીમાં રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા ચીફ ઓફિસરને રજુઆત

- text


મોરબી : મોરબીમાં રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધતો જઇ રહ્યો છે. જેના કારણે અનેક અકસ્માતના બનાવો પણ પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે શહેરના એક સામાજિક આગેવાને આ મુદ્દે ચીફ ઓફિસરને રજુઆત કરીને તાકીદે પગલાં લેવાની માંગ ઉઠાવી છે.

સામાજિક આગેવાન કાંતિલાલ બાવરવાએ ચીફ ઓફિસરને રજુઆત કરી છે કે મોરબી શહેરમા રખડતા ઢોરો નો ત્રાસ અસહ્ય થઈ ગયો છે. અવાર નવાર ઢોરોથી લોકોને અકસ્માત તેમજ ઈજાઓ થવાના બનાવો બનતા રહે છે. એક પણ દિવસ એવો ખાલી નથી કે આવો એક પણ અકસ્માત ન થયો હોય. આ બાબતે તંત્ર આવા અકસ્માતમાં કોઈની જાનનો ભોગ લેવાય તેની રાહ જોઈ રહ્યું છે કે શું?

- text

મોરબીના લોકોને આ રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્ત કરાવવા યોગ્ય આયોજન કરવામાં આવે અને રાખડતા ઢોરોને પકડીને અન્ય જગ્યાએ મુકવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગ છે.જો આ બાબતે કઈ કરવામાં નહી આવે તો કોઈ એવો અકસ્માત બનશે કે જેમાં કોઈ નિર્દોષ માનવનો જીવ પણ લેવાશે.

- text