હળવદ : દેવળીયા ચોકડી પાસેથી તમંચા અને જીવતા કારતુસ સાથે સાધુ ઝડપાયો

- text


 

હળવદ : મોરબી એલસીબીએ હળવદ નજીક આવેલ દેવળીયા ચોકડી પાસેથી એક સાધુને દેશી તમંચા અને જીવતા કારતુસ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- text

મોરબી એલસીબીની ટીમે દેવળીયા ચોકડી પાસે સરવદર જવાના રસ્તા પાસેથી માનસિંહ ઉર્ફે મોહનગીરી રીમસેવક કુશવાહા ઉ.વ.૬૦ રહે.મુળ ચિલ્લીગામ તા. ઉરઇ જી.જાલૌન (ઉતરપ્રદેશ) હાલ રહે. જુના દેવળીયા ગામની સીમ, પાટાવાળા હનુમાન મંદિરની જગ્યાએ તા.હળવદવાળાને ગેરકાયદેસર દેશી બનાવટનો તમંચો-૧ કિંમત રૂપીયા ૧૦,૦૦૦/- તથા જીવતા કાર્ટીસ નંગ. ૫ કિંમત રૂપીયા પ૦૦/- મળી કુલ કિ.૧૦,૫૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી હળવદ પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

- text