મોરબીના જીવાપર ગામે પરિણીતાએ અગ્નિસ્નાન કરી જીવન ટૂંકાવ્યું

- text


મોરબી : મોરબીના જીવાપર ગામે પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર અગ્નિસ્નાન કરીને જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકાના જીવાપર ગામે રહેતા સંજનાબેન મહેશભાઈ હમીરપરાએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ડીંઝલ છાંટીને અગ્નિસ્નાન કરી લીધું હતું. જેથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર કારગત ન નિવડતા તેઓનું મોત નીપજ્યું હતું. આ મામલે તાલુકા પોલીસે નોંધ કરીને પરિણીતાના આપઘાત પાછળનું કારણ શોધવા માટે તપાસ હાથ ધરી છે.

- text