મોરબીના ત્રીમંદિર પાસેથી મોટર સાયકલની ચોરી

- text


મોરબી : મોરબીના નવલખી રોડ પર આવેલ ત્રીમંદિર પાસેથી એક મોટર સાયકલની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ છે.આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મોરબીના રવાપર ધુનડા રોડ પર આવેલ ઉમિયાનગર સોસાયટીમાં રહેતા નીરલભાઈ રતનશીભાઈ અધારા ઉ.વ.24એ પોતાનું જી.જે.03 ઇ.ડી.8244 નંબરનું મોટર સાયકલ ગતતા.19ના રોજ મોરબીના નવલખી રોડ પર આવેલ ત્રીમંદિર બહારના વાહન પાર્કિગના ખુલ્લા મેદાનમાં જેપુર પાસે પાર્ક કર્યું હતું.આ બાઇક અજાણ્યા શખ્સ ચોરી કરી ગયો હતો.આ બનાવ અંગે તેમણે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text