મોરબી : પરણીતા પ્રેમી સાથે રફુચક્કર

- text


મોરબી : મોરબીમાં પરણીતા પ્રેમી સાથે નાસી છૂટી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. તેના પતિએ પોતાની પત્નીની ગુમસુદામાં આ અંગેનું નિવેદન નોંધાવતા એ ડિવિજન પોલીસે ગુમ થનાર પરિણાતાંની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવની એ ડિવિઝન પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર મોરબીના કેનાલ રોડ ઉપર રહેતી ધરતીબેન હિરેનભાઈ નામની 20 વર્ષની પરણીતા ગત તા.6ના રોજ ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક નીકળી ગઈ હતી. આથી તેના પતિએ આજે પોતાની પત્નીની ગુમસુદા એ ડિવિઝનમાં નોધાવી છે.તેના પતિએ પોલીસ સમક્ષ પત્ની ગુમ થવાના કારણ અંગે નિવેદન નોંધાવ્યું હતું કે, તેની પત્નીને હર્ષ નામના યુવાન સાથે પ્રેમ સંબંધ બધાયો હતો. આથી પ્રેમમાં અંધ બનેલી તેની પત્ની આ પ્રેમીને પામવા માટે ઘરેથી નાસી ગઈ હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેમનું નિવેદન નોંધીને આ દિશામાં તપાસ હાથ ધરી છે.

- text

- text