મોરબી : કાલિકાનગરમાં શોટસર્કિટથી વાડામાં લાગેલી આગમાં ત્રણ દુધાળા પશુના મોત

- text


મોરબી : મોરબીના કાલિકાનગરના પાદરમાં આવેલ પશુ બાંધવાના એક વાડામાં ઘાસ સળગતા વાડામાં બાંધેલ બે ભેંસ અને એક પાડીનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે.

મોરબીના કાલિકાનગરના રહેવાસી મનોજ બચુભાઈ ભોજવીયાએ તાલુકા પોલીસ મથકમાં જાણ કરી હતી કે પાદરમાં આવેલ ઘાસના વાડામાં આગ લાગતા બે ભેંસ અને એક પાડી બાંધેલી હોય જેનું દાઝી જતા મોત થયું છે. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગામના પાદરમાં વીજતાર તુટ્યો હતો. જેને કારણે
શોટસર્કીટ થતા નજીકના વાડામાં આગ લાગી હતી. આ આગમાં ત્રણ નિર્દોષ જીવનો ભોગ લેવાયો છે ત્યારે વીજતંત્રની બેદરકારીના કારણે બનેલા બનાવની તટસ્થ તપાસ થશે કે કેમ તેવા સવાલો સ્થાનિકો ઉઠાવી રહ્યા છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text