મોરબી : વ્યાસ જ્ઞાતિના રવિવારે સમૂહ લગ્નોત્સવ યોજાશે

- text


૧૨ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે : શ્રી અસાઈત યુવા સંગઠનનું આયોજન

મોરબી : મોરબી ખાતે આગામી તા. ૦૩ ને રવિવારે સમસ્ત વ્યાસ જ્ઞાતિ, પરિવારના સહકારથી શ્રી અસાઈત યુવા સંગઠન મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન વિજય પીચ, કામધેનું પાર્ટી પ્લોટ, સરદાર નગર સામે કંડલા બાયપાસ રોડ શ્રીકુંજ સોસાયટી પાસે મોરબી ખાતે કરવામાં આવ્યું છે. જે સમૂહ લગ્નોત્સવમાં ૧૨ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે.

આ તકે સાંસદો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્ય સહિતના રાજકીય આગેવાનો, સામાજિક અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ તેમજ સરકારી અધિકારીઓ તેમજ જ્ઞાતિ શ્રેષ્ઠીઓ અને દાતાઓ સહીત વિવિધ ક્ષેત્રના આગેવાનો ખાસ ઉપસ્થિત રહી નવદંપતીઓને શુભકામનાઓ પાઠવશે

સમૂહ લગ્ન સમારોહમાં મહંત હિંમતરામ બાપુ (શ્રી નકલંક મંદિર ખરેડા), મહંત દામજી ભગત (નકલંક મંદિર બગથળા), મહંત જગદીશબાપુ (શ્રી ચિત્રકૂટ ધામ, શિવપુર), મહંત ભાવેશ્વરીબેન (શ્રી રામધન આશ્રમ), વસંતા માં (શ્રી ખોડીયાર મંદિર ખાખરાળા) સહિતના સંતો મહંતો પધારીને નવદંપતીને આશીવચન પાઠવશે

- text

ગુજરાત સૌરાષ્ટ્ર સહીત વસવાટ કરતા સમસ્ત વ્યાસ પરિવારને આ લગ્નોત્સવમાં પધારવા અસાઇન યુવા સંગઠન સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ મુકેશભાઈ કુકરવાડિયા (મો-૯૫૭૪૧ ૩૩૭૬૬), અસાઇન યુવા સંગઠનના પ્રમુખ રાજેશભાઈ કુકરવાડિયા (મો- ૯૮૨૫૯ ૩૪૦૭૨) એ જાહેર આમંત્રણ પાઠવ્યું છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text