ટંકારા : વાયુસેનાના આકરા પ્રહારની ઉજવણી કરાઈ

- text


ટંકારા : ભારતીય વાયુસેનાના આકરા પ્રહારની ટંકારામા ઉજવણી કરવામાં આવી હતી. આ તકે લોકોએ ફટાકડા ફોડી તેમજ એકબીજાના મો મીઠા કરાવીને ખુશી વ્યક્ત કરી હતી.

ભારતીય વાયુસેનાએ આજે વહેલી સવારે પીઓકેમાં પ્રવેશીને આતંકીઓના અડ્ડા ઉપર હુમલો કરીને ૨૦૦ થી ૩૦૦ જેટલા આતંકવાદીઓને ઠાર કર્યા છે. ભારતીય વાયુસેનાએ આતંકીઓ પર આકરો પ્રહાર કરીને પુલવામાં ખાતે થયેલા હુમલાનો બદલો લીધો છે. ત્યારે સમગ્ર દેશમાં ઠેર ઠેર ઉજવણીનો માહોલ સર્જાયો છે. આ તકે ટંકારામા પણ લોકોએ ફટાકડા ફોડી એકબીજાના મો મીઠા કરીને ઉજવણી કરી હતી. સાથે વાયુસેનાની આ કામગીરીને બિરદાવી હતી.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text