ટંકારા : ધર્મ ભક્તિ સોસાયટીમાં તસ્કરો ત્રાટકયા

- text


અઠવાડિયામાં બીજી વાર ચોરી થઇ હોવાથી પોલીસ સામે લોકોને રોષ

ટંકારા : ધર્મ ભક્તિ સોસાયટીમાં ગત રાત્રે બે વાગ્યાના સુમારે છ જેટલા તસ્કરોએ સોસાયટીમાં ભાડે રહેતાં તલાટી કમ મંત્રી અને એમએસ ડબલ્યુનાં બે વિદ્યાર્થીઓના મકાનને નિશાન બનાવ્યું હતુ અને ચોરીના ગુનાને અંજામ આપી ત્રણ બાઇક પર નાસી છૂટ્યા હતાં. જો કે આ ચોરીનો માલ સોસાયટીથી થોડે આગળ બાવળ પાસે મુકીને નાસી છૂટ્યા હતાં.

અત્રે નોંધનીય છે કે આ જ સોસાયટીમાં બે દિવસ પહલા પણ બે કારના કાચ તોડીને તસ્કરીને અંજામ આપ્યો હતો, પરંતુ પોલીસે પેટ્રોલિંગ ન વધારી અને ગત રાત્રે ફરીથી ચોરી થઈ હોવાથી સોસાયટીનાં રહીશોમાં ફફડાટ ફેલાયો છે.

- text

જો કે આ તસ્કરો આગળની સોસાયટી અયોધ્યાપુરીનાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે, પરંતું ત્યાં કોઈ ચોરી થઈ હોવાનું સામે આવ્યુ નથી. આ લવર મૂછીયા જુવાનો જે ગેસ એજન્સીમાંથી ચોરી કરી હતી એ ઉંમરના જ દેખાય છે. આ ગેંગ પોલીસને હાથે ચડી જાય તો ઘણાં ચોરીના ગુનાઓ ઉકેલી શકાય. જોકે ટંકારામાં ચોરીના બનાવોમાં પોલીસ ફરિયાદ લેવામાં આનાકાની કરતી હોવાનો પણ ગંભીર આક્ષેપ લોકોએ કર્યો હતો.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text