હાશ..અંતે ટંકારાના ખખડધજ યુરિનલનું સમારકામ શરૂ

- text


અસામાજિક તત્વોએ મુતરડીને તોડી નાખ્યા બાદ મોરબી અપડેટએ જાગૃત પહેરી તરીકે વાચા આપતા પંચાયત દ્વારા યુરિનલનું રીનોવેશન શરૂ કરાયું

ટંકારા: ટંકારામાં જા હેર યુરિનલને અસામાજિક તત્વોએ તોડી નાખ્યા બાદ મોરબી અપડેટે એ બનાવને વાચા આપી હતી. આ સમાચાર પ્રસિદ્ધ થયા બાદ પંચાયત હરકતમાં આવી હતી અને હાલ તત્કાલ રીનોવેશનનુ કામ આદર્યુ છે. આ બનાવમાં સંડોવાયેલા શખ્સોની શોધખોળ હજુ ચાલુ છે.

ટંકારાના દયાનંદ સરસ્વતી ચોક ખાતે પંચાયત હસ્તકનું લધુશંકા માટે બનાવાયેલુ એક માત્ર યુરિનલ કોઈ વિધ્નસંતોષીએ તોડીફોડી નાખતા વેપારીઓ તેમજ બહારથી ખરીદી માટે આવતા ગ્રાહકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. મોરબી અપડેટે આ અંગેનો એહવાલ પ્રસિદ્ધ કરતા મહીલા સરપંચ નિશાબેન ત્રિવેદીએ તાત્કાલિક મરામત કામ શરુ કરાવી દીધુ છે.

પરંતુ હવે આવી ધટના ફરી ન બને એ તંત્રે જોવું રહ્યું. જોકે જેણે આવુ કુત્ય કર્યુ છે તેનુ પગેરૂ પંચાયત શોધી રહી છે. આમાં સંડોવાયેલા ઇસમોને પકડવા લોકો પણ સહકાર આપે તેવી અપીલ પંચાયત દ્વારા કરવામાં આવી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text