મોરબી જિલ્લાની 300 જેટલી ખાનગી શાળાઓ બંધ : કલેકટરને આવેદન અપાયું

- text


ટંકારા લાઈફ લિંક્સ શાળાના શિક્ષકો અને સંચાલક વિરુદ્ધ એસ્ટ્રોસિટી ફરિયાદનો ખાનગી શાળા સંચાલકોનો પ્રચંડ વિરોધ

મોરબી : ટંકારાની ખાનગી શાળાના સંચાલક અને ચાર શિક્ષકો વિરુદ્ધ કોઈપણ જાતની તપાસ વગર એસ્ટ્રોસિટી ફરિયાદ દાખલ કરવામાં આવતા મોરબીના શિક્ષણ જગતમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે અને આ મામલે આજથી જિલ્લાની ૩૦૦થી વધુ ખાનગી શાળાઓ અચોક્કસ મુદત માટે બંધ કરી દેતા મોરબી જિલ્લામા ખળભળાટ મચી ગયો છે. આજે મોરબી જિલ્લાની 300થી વધુ શાળા કોલેજો સજજડ બંધ રહ્યા બાદ આ મુદ્દે ખાનગી શાળાના સંચાલકોએ કલેક્ટર અને એસપીને આવેદન પત્ર પાઠાવી ખોટી ફરિયાદ રદ કરવાની માંગણી કરી છે.

મોરબી જિલ્લાનાં ટંકારા તાલુકાની લાઈફ લિંક સ્કુલના ૪ શિક્ષકો અને સંચાલક ઉપર તપાસ કર્યા વિના ઍટ્રોસિટીનાં કાયદાનો ગેર ઉપયોગ કરી ખોટી ફરીયાદ દાખલ કરવામાં આવતા મોરબી જિલ્લાની તમામ સેલ્ફ ફાયનાન્સ શાળાઓ આજ તા.2-2-2019 થી અચોક્કસ મુદત સુધી બંધ રાખવાનો મોરબી જીલ્લા સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળે નિર્ણય કરેલ છે. જેના પગલે આજે મોરબી જિલ્લાની તમામ નાની મોટી ખાનગી શાળા અને કોલેજોએ સજ્જડ બંધ પાળ્યો હતો. જ્યારે ખાનગી શાળા કોલેજોએ અચોક્કસ મુદત માટે બંધના એલાનથી વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

આજે મોરબી જિલ્લાની 300 જેટલી ખાનગી શાળાઓએ રોષપૂર્ણ બંધ પાળી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના નેજા હેઠળ મોટી સંખ્યામાં મોરબી જિલ્લાના ખાનગી શાળાના સંચાલકો અને શિક્ષકોએ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને આવેદન આપ્યું હતું અને ટંકારાની ખાનગી શાળા સામે થયેલી આ ફરિયાદની તટસ્થ તપાસ કરવા તથા ખોટી રીતે આવી ફરિયાદ ન થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને અચોક્કસ મુદતના બંધન એલાન અંગે આગામી સમયમાં રણનીતિ ધડાશે તેવું સાવનિર્ભર શાળા સંચાલક મંડળે જણાવ્યું છે.

- text

વધુમાં હાલ શાળાઓમાં ચાલતી દ્વિતીય પરીક્ષા પણ મુલતવી રાખવામાં આવી છે. મોરબી જીલ્લામાં ૧૦ દિવસ પહેલાં કડવા પાટીદાર કેળવણી મંડળ સંચાલિત મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલય જોધપરમાં પણ આવી ઘટના બની હતી. જેથી આવી ઘટનાઓ વારંવાર બનાવથી મોરબી જિલ્લાના શિક્ષણ જગતમાં ચિંતાનો માહોલ છવાયો હોવાનું ખાનગી શાળાના સંચાલકોએ જણાવ્યું હતું. આ તકે સ્વરનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ મનોજભાઈ ઓગણજા, પી.ડી.કાજીયા, અતુલ પટેલ, જયેશભાઇ ગામી, નિલેશભાઈ કુંડારિયા, મહેશ સાદરિયા સહિતનાએ બનાવને કડક શબ્દોમાં વખોડી કાઢીને ન્યાયિક તપાસ કરવાની માંગ કરી હતી અને એમ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનામાં દોષીતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ પણ એટ્રોસીટીની કલમનો દૂરપયોગ થવો જોઈએ નહીં આથી અધિક કલેકટર કેતન જોશીએ આ બાબતે તટસ્થ તપાસ કરવાની ખાતરી આપી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text