વાંકાનેર: તસ્કરો દોઢસો કિલ્લો સોપારી ઉઠાવી ગયા

- text


વાંકાનેર: વાંકાનેરની અરુણોદય સોસાયટીમાં ખાતર પાડી તસ્કરો છ બાચકા સોપારી ઉપાડી ગયાની ફરિયાદ નોંધાતા સીટી પોલીસે તપાસ આદરી છે.

ભાટિયા સોસાયટી, ભૂતનાથ મંદિર પાસે રહેતા આશિષભાઈ ઇન્દુભાઈ સોઢાએ વાંકાનેર સીટી પો.સ્ટેમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર અરુણોદય સોસા.માં આવેલ તેના મકાનમાંથી કટિંગ કરેલી તેમજ આખી સોપારીના સાડા છ કટ્ટા ૧૫૦ કિલ્લો આશરે વજન કિંમત ૪૫૦૦૦ રૂપિયાની ગત રાત્રી દરમ્યાન મકાનનું તાળું તોડી કોઈ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી છે. બનાવની તપાસ વાંકાનેર સીટી.પો.સ્ટે.ના પોલીસ સબ.ઇન્સ. આર.પી.જાડેજા ચલાવી રહ્યા છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text