આપની સંપર્ક યાત્રા 30મીએ મોરબીમાં આવશે

- text


સંપર્ક યાત્રાનું સર્કિટ હાઉસ ખાતે સ્વાગત કરાયા બાદ શહેરભરમાં ફરશે

મોરબી : આમ આદમી પાર્ટી દ્વારા નીકળેલી સંપર્ક યાત્રાનું આગામી 30મી જાન્યુઆરીએ મોરબીમાં આગમન થશે. આ સંપર્ક યાત્રાનું મોરબીના સામાકાંઠે આવેલ સર્કિટ હાઉસ ખાતે સ્વાગત કરાયા બાદ યાત્રા શહેરભરમાં ફરશે

આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં આમ આદમી જોડો અભિયાન અને સંપર્ક યાત્રા 16 જાન્યુઆરી થી 6 ફેબ્રુઆરી સુધી આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આ સંપર્ક યાત્રાનું મોરબી ખાતે આગામી 30 જાન્યુઆરી ના રોજ બપોરે 3 વાગ્યે આગમન થશે.જેનું સ્વાગત સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવશે ત્યાંથી યાત્રા સ્વરૂપે શહેરમાં ફરી નવા બસ સ્ટેન્ડ ખાતે રહેલાં આમ આદમી જોડો બુથ ખાતે પહોંચશે ત્યાં આમ આદમી જોડો અભિયાન ચલાવશે અને અધિકારીઓ પાસેથી સરકારી ગ્રાન્ટનો હિસાબ મંગાશે.ત્યારે આ સંપર્ક યાત્રાના આગમન ને લઈને આમ આદમી પાર્ટીના મોરબીના હોદેદારો અને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text