વાંકાનેરના સરધારકા ગામે વૃધ્ધનું ઝેરી દવા પી લેતા મોત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરધારકા ગામે રહેતા વૃધ્ધએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના સરધારકા ગામે રહેતા ઘનુભા મુળુભા ઝાલા ઉ.વ.63 નામના વૃધ્ધએ તા 22ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર જંતુનાશક દવા પી લીઘી હતી.ત્યારબાદ તેમને મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા.જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text