શાયર કાયમ સાહેબની ગઝલોને મોરબીમાં સુર તાલ મળ્યા

- text


કાયમ સાહેબની વર્ષગાંઠે અનેરું આયોજન

મોરબી : સુવિખ્યાત શાયર કાયમ હજારી સાહેબના જન્મદિવસ નિમીતે મોરબીમાં યોજાયેલ કાયમ શબ્દોત્સવ કાર્યક્રમમાં કાયમ સાહેબની ગઝલોને સુરતાલ સાથે રજૂ કરવામાં આવી હતી.

સાહિત્ય સ્પંદન અને પુસ્તક પરબ મોરબી દ્વારા મોરબીના પ્રખ્યાત શાયર કાયમ હજારી સાહેબના જન્મદિવસ નિમિત્તે ‘કાયમ શબ્દોત્સવ’ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબીના કવિ તેમજ લેખકો કવિ જલરૂપ, મનનભાઈ બુધદેવ, નીરવ માનસેતા અને વિશાલ સોની દ્વારા કાયમ સાહેબની ગઝલોનું પઠન કરવામાં આવ્યું હતું.

- text

આ તકે પંડ્યા ભાવિન દ્વારા કાયમ સાહેબની ગઝલો ને કમ્પોઝ કરીને સંગીતમય રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જનાર્દન દવે દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મોરબીના સાહિત્ય પ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પુસ્તક પરબ ટીમમાંથી અનિલ બદ્રકિયા, રાહુલ વ્યાસ, મિતુલ વરસોલા, નિનાદ ગઢવી અને પારસ પટેલએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text