- text
મોરબી : ધૂળકોટ ગામે રહેતી પરણીતાએ અગ્નિસ્નાન કરી આપઘાત કરી લીધાના બનાવમાં મૃતકના પિયરપક્ષે પતિ સહિતના સાસરિયા સામે શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપી મરવા મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
- text
મોરબીના ધૂળકોટ ગામે રહેતી સવિતાબેન ઉર્ફે કંચનબેન ખીમજીભાઈ ભાંભી નામની પરણીતાએ શુક્રવારે સવારે પોતાના ઘરે અગ્નિસ્નાન કરીને આપઘાત કરી લીધો હતો. આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ કિશોરભાઈ મોતીભાઈ સારેસાએ તેની બહેનના પતિ ખીમજીભાઈ હીરાભાઈ ભાંભી તથા સાસરિયાં મોહનભાઇ હીરાભાઈ ભાંભી, હંસાબેન મોહનભાઇ ભાંભી, પ્રવીણભાઈ હીરાભાઈ ભાંભી, મહેશભાઈ મોહનભાઇ ભાંભી સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપીઓએ તેમની બહેનને શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપી જીવન દુષ્કર કરી નાખી આપઘાત કરવા મજબુર કર્યાનું ફરિયાદમાં જણાવ્યું હતું.તાલુકા પોલીસે સાસરિયા સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
- text