આજે વાંકાનેરમાં કવિ સંમેલન : પ્રણયાખ્યાન ગીત સંગ્રહનું વિમોચન

- text


જગદીપ ઉપાધ્યાય રચિત પ્રણયાખ્યાન વિમોચન પ્રસંગે રાજ્યના લબ્ધ પ્રતિષ્ઠિત કવિઓ વાંકાનેરમાં

વાંકાનેર : આજે વાંકાનેર નગરી જગદીપ ઉપાધ્યાયના ‘પ્રણયાખ્યાન’ ના ગીતો થી છલકાશે, જગદીપ ઉપાધ્યાય રચિત પ્રણયાખ્યાન વિમોચન પ્રસંગે કવિ સંમેલનનું પણ આયોજન કરાયું છે.

આજે વાંકાનેરમાં ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત કવિઓ વિનોદ જોશી, હરિકૃષ્ણ પાઠક, રાજેશ વ્યાસ (મિસ્કીન), સંજુ વાળા, ભરત વિંઝુડા, વિનોદ ગાંધી, અનિલ વાળા અને ડો. કાલિન્દી પરીખની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે જગદીપ ઉપાધ્યાય રચિત પ્રણયાખ્યાન ગીત સંગ્રહનું વિમોચન કરવામાં આવશે.

રાજ્યસભાના માજી સાંસદ અને પ્રખર કેળવણીકાર લલીતભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાને અને ફૂલછાબના તંત્રી કૌશિક મહેતાના મુખ્ય મહેમાન પદે આજે સાંજે જગદીપ ઉપાધ્યાય રચિત ‘પ્રણયાખ્યાન’ ગીત સંગ્રહનું ગુજરાતનાં નરસિંહ મહેતા એવોર્ડ વિજેતા પ્રખ્યાત કવિ વિનોદ જોશીના હસ્તે કે. કે. શાહ વિદ્યાલયના વખારીયા ઓડિટોરિયમ, વાંકાનેર ખાતે લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકારો, કેળવણીકારો, સંગીતજ્ઞ અને સેંકડો ભાવિકોની હાજરીમાં વિમોચન કરાશે.

- text

ઉપરાંત રાત્રે કલાકે યોજાનાર બેઠકમાં ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત કવિઓ વિનોદ જોશી, હરિકૃષ્ણ પાઠક, રાજેશ વ્યાસ (મિસ્કીન), સંજુ વાળા, ભરત વિંઝુડા, વિનોદ ગાંધી, અનિલ વાળા, જગદીપ ઉપાધ્યાય અને શૈલેન રાવલ વાંકાનેર નગરને કવિતાના રંગોથી રંગી નાખશે. આ કવિ સંમેલનને સંચાલન ડો. કાલિન્દી પરીખ દ્વારા કરવામાં આવશે. મોરબી જિલ્લાની જનતાને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા વાંકાનેર એજ્યુકેશન સોસાયટી, જગદીપ ઉપાધ્યાય અભિવાદન સમિતિ વાંકાનેર તરફથી ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.

- text