રતનપર નજીક કારને અકસ્માત નડતા મોરબીનો પ્રજાપતિ પરિવાર ઘાયલ

- text


મોરબી – રાજકોટ હાઇવે ઉપર રતનપર માનસ મંદિર નજીકની ઘટના : ચાર ઘાયલ

મોરબી : રાજકોટ – મોરબી હાઇવે ઉપર રતનપર માનસ મંદિર નજીક મોરબીથી રાજકોટ જતા પ્રજાપતિ પરિવારની કારને અકસ્માત નડતા એક જ પરિવારના ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરના સમયે મોરબીથી રાજકોટ તરફ આવી રહેલ મોરબીના પ્રજાપતિ પરિવારની હોન્ડા અમેજ કાર રતનપર માનસ મંદિર પાસે પાણીના વાલ્વ સાથે ધડાકાભેર અથડાઈ હતી.વધુમાં આ અક્સ્માતમાં મોરબીના સો-ઓરડી વિસ્તારમાં રહેતા જગદીશભાઈ ધનજીભાઈ બારેજીયા,ઉ.45, મીનાબેન જગદીશભાઈ બારેજીયા,ઉ.36, જતીન જગદીશભાઈ બારેજીયા, ઉ.11 અને સુમીતાબેન પારસભાઈ બારેજીયા ઉ.37ને નાની મોટી ઈજાઓ પહોંચતા રાજકોટ સારવારમાં ખસેડાયા હતા.

- text