- text
શાસ્ત્રી જગતપ્રકાશદાસજી સ્વામી અને પુરાણી દિવ્યપ્રકાશદાસજી કથા શ્રવણ કરાવશે
મોરબી : મોરબી તાલુકાના બેલા ( રંગપર ) ગામે નવાપ્લોટ હનુમાનજી મંદિર સામે તા. ૧૧ને રવિવારથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થઇ રહ્યો છે.
બેલા ગામના દેલવાડીયા પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહમાં શાસ્ત્રી જગતપ્રકાશદાસજી સ્વામી અને પુરાણી દિવ્યપ્રકાશદાસજી કથા શ્રવણ કરાવશે અને તા. ૧૪ ના રોજ રામજન્મોત્સવ અને કૃષ્ણ જન્મોત્સવ તેમજ તા.૧૬ ના રોજ રૂકમણી વિવાહનો પ્રસંગ યોજાશે.
- text
શ્રીમદ ભાગવત સપ્તાહમાં બહારગામથી આવતા ભાવિકો માટે પ્રસાદનું પણ આયોજન કરાયું હોય ધર્મપ્રેમી જનતાએ કથાશ્રવણનો લાભ લેવા દેલવાડીયા પરિવારની યાદીમાં જણાવાયું છે.
- text