- text
ટંકારા : ટંકારાના રામપર ગામમાં યુવાનને માવો ખાવાના બહાને બોલાવીને બે શખ્સોએ જૂની અદાવતનો ખાર રાખીને છરીના ઘા ઝીંક્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ હુમલામાં ઇજાગ્રસ્ત થયેલ યુવાન હાલ સારવાર હેઠળ છે.
- text
પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારા તાલુકાના રામપર ગામે ગોવિંદભાઇ કનિયાભાઈ ભીલ ઉ.વ. ૨૩ સાથેની જૂની અદાવતનો ખાર રાખીને મદન વેનસિંગ ભુરિયા અને મિત્ર નરપતે તેને માવો ખાવાના બહાને બોલાવ્યો હતો. બાદમાં બન્ને શખ્સોએ મળીને ગોવિંદભાઇને છરીના ઘા ઝીંક્યા હતા. આ હુમલાથી ગોવિંદભાઈમે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં તેઓની ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- text