મોરબી રાજપૂત સમાજના હોદેદારોની વરણી

- text


નવનિયુક્ત પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા દ્વારા મહામંત્રી, ઉપપ્રમુખ, સહમંત્રી, સંગઠન મંત્રી સહિતના હોદેદારોની નિમણૂક

મોરબી : મોરબીમાં રાજપૂત સમાજની સામાન્ય સભા મળી હતી. જેમાં નવનિયુક્ત પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા દ્વારા તમામ હોદેદારોની નિયુક્તિ કરવામાં આવી હતી. આ નવ નિયુક્ત હોદેદારો જ્ઞાતિના સંગઠનને વધુમાં વધુ મજબૂત બનાવવાની દિશામાં પ્રયાસો હાથ ધરશે.

બેઠકમાં મહામંત્રી તરીકે મહાવીરસિંહ જાડેજા તેમજ ઉપપ્રમુખ તરીકે અનિરુદ્ધસિંહ જાડેજા, કૃષ્ણસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ ઝાલા, હરપાલસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ઝાલા, દિગ્વિજયસિંહ જાડેજા, વનરાજસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ જાડેજા અને દિલીપસિંહ પરમારની વરણી કરવામાં આવી છે.

- text

આ ઉપરાંત સહમંત્રી તરીકે શક્તિસિંહ જાડેજા, ગિરિરાજસિંહ ઝાલા, વીરેન્દ્રસિંહ ઝાલા, અજીતસિંહ ઝાલા, ભરતસિંહ ઝાલા અને અનિરુદ્ધસિંહ જાડેજા, સંગઠન મંત્રી તરીકે શ્રીપાલસિંહ ઝાલા, અશોકસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ પરમાર, જીતેન્દ્રસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા અને અજયસિંહ જાડેજા, ખજાનચી તરીકે જશવંતસિંહ ઝાલા અને સહ ખજાનચી તરીકે પ્રતિપાલસિંહ ઝાલા અને જશવંતસિંહ ઝાલાની નિમણૂક કરવામાં આવી છે.

 

- text