જીઈબીમાં અમારી ફરિયાદ કેમ કરી તેમ કહીને ત્રણેય શખ્સો વૃદ્ધ પર તૂટી પડ્યા

- text


ટંકારાના ગણેશપરમાં વૃધ્ધને ત્રણ શખ્સો લાકડીથી માર માર્યો

ટંકારા : ટંકારાના ગણેશપર ગામે જીઈબીના સાહેબને અમારી ફરિયાદ કેમ કરી તેમ કહીને ત્રણ શખ્સોએ વૃધ્ધને લાકડી વડે માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે વૃધ્ધની ફરિયાદ પરથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

ટંકારાના ગણેશપર ગામે રહેતા માયાભાઈ વાસણભાઈ ઝાપડાએ ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે કનુભાઈ વાસણભાઇ ઝાપડા, રતો કનુભાઈ, લાલો વાસણભાઇ અને વજો વાસણભાઈએ જીઇબીમાં અમારી ફરિયાદ કેમ કરી તેમ કહીને લાકડીના ઘા ફટકાર્યા હતા. ફરિયાદના આધારે ટંકારા પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text