મોરબીમાં ચાંદીના રથમાં નગરચર્યાએ નીકળ્યા મહાવીર સ્વામી

- text


પર્યુષણ પર્વે નીકળેલી રથયાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમાજ જોડાયો

મોરબી : મોરબી જૈન સમાજ દ્વારા પવન પર્યુષણ પર્વ નિમિત્તે આજે ભવ્યાતિભવ્ય રથયાત્રા યોજવામાં આવી હતી જેમાં પ્રભુ મહાવીર સ્વામીને ચાંદીના રથમાં બિરાજીમાન કરી નગરચર્યા કરાવવામાં આવી હતી, આ શોભાયાત્રામાં જૈન સમાજ મોટી સંખ્યામાં જોડાયો હતો

જૈન સમાજ મોરબી દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ રથયાત્રાનો વરઘોડો આજે સવારે ૮:૦૦ કલાકે દરબાર ગઢથી શરૂ થયો હતો અને ત્યાંથી જુના બસ સ્ટેશન થઈ રામચોક પહોંચી સનાળા રોડ પર પ્લોટ દેરાસર ખાતે સંપ્પન થઈ હતી.

વધુમાં આ રથયાત્રામાં પરમપુજ્ય સાધ્વીજી વિનયરત્નાશ્રીજી મહારાજની શુભ નીશ્રામાં સંઘપ્રમુખ નવિનભાઈ મહેતા ટ્રસ્ટીગણ સહિત સંઘના તમામ ભાઈબહેનો બાળકો આ રથયાત્રામાં ઉપસ્થિત રહયા હતા અને પ્રભુ મહાવીર સ્વામીને ચાંદીના રથમાં બેસાડી નગરચર્યા કરાવવામાં આવી હતી.

- text

આ રથયાત્રામાં નગરપાલિકાના પ્રમુખના પીએ ભાવેશભાઈ દોશી (જૈનસંગીતકાર) એ પ્રભુજીની પાલખી ઉપાડવાનો લાભ લીધો હતો અને તેમના પરિવારના યોગેશભાઈ લોદરીયાએ પ્રભુજીને લઈને રથમાં બેસવાનું તેમજ દીપકભાઈ દોશીએ પ્રભુજીના સારથી બનવાનું તથા રોનકભાઈ ગાંધીએ પ્રભુજીની જમણી બાજુમાં ચામરથી જુહારવાનો લાભ લીધેલ હતો.

પર્યુષણ પર્વ પ્રસંગે યોજાયેલ આ રથયાત્રામાં તપશ્ચર્યા કરનાર જૈન તપસ્વીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા રથયાત્રા બાદ બપોરે વિશા શ્રીમાળી વણીક વાડી, નવાડેલા રોડ, ખાતે પ્રસાદ નું આયોજન પણ કરાયું હતું જેનો જૈન સમાજે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો.

- text