તરણેતર મેળા દરમિયાન મોરબી વાંકાનેર વચ્ચે સ્પેશિયલ ડેમુ ટ્રેન દોડશે

- text


મોરબી : તરણેતર મેળા દરમિયાન રેલ મંત્રી પીયૂષ ગોયલની પહેલ પર પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝન દ્વારા થાન સ્ટેશન નજીક દર વર્ષે આયોજિત થનાર તરણેતર મેળા દરમિયાન, મુસાફરોની સુવિધા માટૅ તા. 12 સપ્ટેમ્બર થી 15 સપ્ટેમ્બર સુધી (ચાર દિવસો માટે) વાંકાનેર તથા મોરબી વચ્ચે સ્પેશ્યલ ડેમૂ ટ્રેન ચલાવવામાં આવશે.

- text

રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર પી.બી.નિનાવેના જણાવ્યા મુજબ ડેમૂ સ્પેશિયલ ટ્રેન તા. 12 થી 15 સપ્ટેમ્બર બપોરે 14:00 કલાકે મોરબી થી ઉપડીને 14:04 કલાકે નજરબાગ, 14:13 કલાકે રફાલેશ્વર, 14:23 કલાકે મકનસર 14:31 કલાકે યુવા તથા 14:50 કલાકે વાંકાનેર પહોચશે.

અને પરત માં આ ટ્રેન બપોરે 15:00 કલાકે વાંકાનેર થી ઉપડીનૈ 15:11 કલાકે ઘુવા, 15:19 કલાકે મકનસર, 15:24 કલાકે રફાલેશ્વર તથા 15:37 કલાકે નજરબાગ તથા 15:50 કલાકે મોરબી પહોચશે.

- text