- text
ગ્રામ્ય રૂટ બંધ :રાજકોટ તરફના રૂટ હવે શરૂ કરાયા
મોરબી : કોંગ્રેસના ભારત બંધના એલાનને પગલે મોરબી એસટીના તમામ રૂટ અસરગ્રસ્ત થયા છે. જેમાં ગ્રામ્ય રૂટ બંધ કરવામાં આવ્યા છે. જ્યારે રાજકોટના રૂટ બંધ કરાયા હતા પરંતુ હવે ધીમે ધીમે શરૂ કરવામા આવ્યા છે.
- text
કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં આજે ભારત બંધનુ એલાન આપવામાં આવ્યું છે. ત્યારે મોરબી એસટી દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખીને આજે અમુક રૂટ બંધ કરવામાં આવ્યા છે. જેમાં ગ્રામ્ય રૂટ બંધ કરી દેવાયા છે. જયારે રાજકોટ તરફના રૂટ અગાઉ બંધ કરી દેવાયા હતા. પરંતુ હાલ ધીમે ધીમે આ રૂટ શરૂ કરવામાં આવ્યા છે. ઉપરાંત લાંબા રૂટની એસટી બસો ચાલુ રાખવામાં આવી છે. આજે ગ્રામ્ય રૂટની બસના પૈડા થંભી જતા મુસાફરો રઝળી પડ્યા છે. ઉચ્ચ અધિકારીની સુચના બાદ એસટી બસો ચાલુ થશે તેવું જાણવા મળ્યું છે.
- text