શનાળાના યુવકનુ શોક લાગ્યા બાદ સારવાર દરમિયાન મોત

- text


મોરબી : મોરબીના શકત શનાળા ગામના યુવકને વીજ શોક લાગ્યા બાદ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યા સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજ્યું છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના શકત શનાળા ગામમાં રહેતા કિશનભાઈ ભીમસિંગ કટારા ઉ.વ. ૩૫ને ગત તા. ૧ના રોજ વીજ શોક લાગ્યો હતો. વીજ શોકમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા આ યુવકને સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા સારવાર કારગત ન નવડતા યુવકનું મોત નીપજ્યું છે. આ મામલે એ ડિવિઝન પોલીસે નોંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

- text