મોરબીના ગોરખીજડીયા ગામના પાટીદારો દ્વારા હાર્દિકના સમર્થનમાં ઉપવાસ આંદોલન

- text


મોરબી : મોરબીના ગોરખીજડીયા ગામના પાટીદારો હાર્દિકના ઉપવાસ આંદોલન ને સમર્થન આપવા ગામમાં જ ગત રાત્રે પ્રતીક ઉપવાસ પર બેઠા હોવાની વિગતો મળી છે.

- text

હાર્દિક પટેલે ઉપવાસ આંદોલન શરૂ કરતા તેના પડઘા રાજ્યભરમાં પડ્યા છે. અનેક ગામો અને શહેરોમાં પાટીદાર આગેવાનોએ હાર્દિક પટેલના સમર્થનમાં ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે. ત્યારે મોરબીના ગોરખીજડીયા ગામના પાટીદારોએ પણ હાર્દિકને સમર્થન આપવા માટે ગત રાત્રીના જ ઉપવાસ આંદોલન શરૂ કરી દીધું છે.

- text