મોરબીના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે બેન્ડવાજાના તાલે મહાઆરતી

- text


શનાળા રોડ હાઉસિંગ બોર્ડ ખાતે આવેલ શિવાલયમાં ૫૦૧ દિવડાની દીપમાળા

મોરબી : મોરબીમાં સનાળા રોડ પર આવેલ હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં બિરાજતા સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં અનેરો માહોલ જામે છે અહી દર સોમવારે ૫૦૧ દિવડાની દીપમાળા અને બેન્ડવાજાના તાલે વિશેષ મહાઆરતી કરવામાં આવે છે.

સનાળા રોડ હાઉસિંગ બોર્ડ ખાતે આવેલ સિદ્ધેશ્વર શિવમંદિર ૨૧ વર્ષ પહેલાં નિર્માણ કરાયું હતું અહીં પૂજારી પ્રવિણગીરી ગૌસ્વામી અને તેમના પરિવારજનો દ્વારા મહાદેવજીની સેવા પૂજા કરવામાં આવે છે અને પવિત્ર શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે.

- text

આજે પવિત્ર શ્રાવણ માસના સોમવારના અવસરે ૫૦૧ દિવડાઓની દીપમાળા અને કોહિનૂર બેન્ડની સુમધુર સુરાવલીઓ સાથે ભગવાન ભોળાનાથની મહાઆરતી ઉતારવામાં આવી હતી.

- text